02/06/2026
યુવા પેઢીને નશાથી બચાવવા ડીજીપીનો સપાટો:
અમદાવાદ-ગાંધીનગરમાં હુક્કાબાર પર SMCના દરોડા
અમદાવાદ, 29 મે 2026: ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી ડૉ. કે.એલ. રાવના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં ચાલતા હુક્કાબાર સામે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. યુવા પેઢીને નશાની લતથી બચાવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે SMCની વિવિધ ટીમોએ એકસાથે અનેક કાફે અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના એલિસબ્રિજ, થલતેજ, ભાડજ તેમજ ગાંધીનગર નજીકના ઝુંડાલ અને એસ.જી. હાઇવે વિસ્તારના અનેક કાફેમાં ચેકિંગ હાથ ધરાયું હતું. અચાનક થયેલી કાર્યવાહીના કારણે હુક્કાબાર સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.